Error message

Notice: Undefined offset: 1 in counter_get_browser() (line 70 of /home/u701406760/domains/drjanmejaysheth.com/public_html/sites/all/modules/counter/counter.lib.inc).

એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી

એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી

મૂવી / આલ્બમ : 
માલવપતિ મુંજ (૧૯૭૬)
સ્વર : 
મન્ના ડે
લેખક : 
પ્રભુલાલ દ્વિવેદી
સંગીત : 
અવિનાશ વ્યાસ

Lyrics

એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી,
એથી જ શાણા સાહ્યબીથી લેશ ફુલાતા નથી.

ભાગ્ય રૂઠે કે રીઝે એની તમા જેને નથી,
એ જ શૂરા જે મુસીબત જોઈ ગભરાતા નથી.

ખીલે તે કરમાય છે, સર્જાય તે લોપાય છે,
જે ચઢે તે પડે, એ નીયમ બદલાતા નથી.